Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વિશ્વ કેન્સર દિવસ' દર વર્ષે ૪ ફેબ્રુઆરીના સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કેન્સર પ્રત્યેની જાગૃતિ અને ભય દૂર કરવાનો છે. જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી લગભગ છેલ્લા ૬ દાયકાઓથી સૌરાષ્ટ્રમાં સતત કાર્યશીલ અને સંવેદનશીલ છે. રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ જેને આપણે 'રાજકોટ કેન્સર સોસાયટી'ના નામથી ઓળખીએ છીએ. જે સૌરષ્ટ્ર-કચ્છમાં કેન્સરની સારવાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડતી આવી છે. રાજકોટ કેન્સર સોસાયટીની સ્થાપના ૧૯૬૯માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ જરૃરિયાતમંદ અને ઓછી આવક ધરાવતા દર્દીઓને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે.
આ 'વિશ્વ કેન્સર દિવસ' નિમિત્તે આયોજીત પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેક્ટર ડૉ. ખ્યાતિ વસાવડાએ માહિતી આપતા જણાવેલ કે કેન્સરના દર્દીઓ રાજકોટ કેન્સર સોસાયટીમાં સારવાર લેવાનું પસંદ કરે છે. જેનું મુખ્ય કારણ છે કે કેન્સર માટેની સંપૂર્ણ સારવાર એક છત હેઠળ પૂરી પાડવામાં આવે છે તથા અનુભવિ અને નિષ્ણાત તબીબોની ટીમ ઉપલબ્ધ છે. અતિ આધુનિક સાધનો અને સુવિધા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત હુંકાળુ, હકારાત્મક અને પારિવારિક વાતાવરણ દર્દીઓ અનુભવે છે જે કેન્સરને હરાવવા માટે પર્યાપ્ત છે તથા જ્યારે દર્દીને કેન્સર માલુમ થાય ત્યારે ફક્ત દર્દી જ નહીં પરંતુ તેનો પરિવાર પણ માનસિક અને આર્થિક રીતે કપરી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે તેવા સમયે પણ રાજકોટ કેન્સર સોસાયટી તેમને તબીબી અને પારિવારિક ટેકો પૂરો પાડે છે. રાજકોટ કેન્સર સોસાયટીમાં કેન્સરને થતું અટકાવવાના ઉપાયથી લઈને કેન્સરના અતિ ગંભીર દર્દીઓની પીડારહિત સારવાર કરી તેના જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે.
આ વર્ષની વિશેષ થીમ છે ''યુનાઈટેડ બાય યુનિક'' જેની વિશ્વસ્તરે ત્રણ વર્ષ સુધી ઝુંબેશ ચાલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial