Advertisement
Author: નોબત સમાચાર

૧૯ બોટલ દારૂ અંગેના કેસમાં પકડાયેલા એક આરોપીની મુક્તિ

અન્ય એક શખ્સની કરાઈ હતી ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના મધુરમ્ સોસાયટી વિસ્તારમાંથી બે વર્ષ પહેલાં પકડાયેલી ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલના કેસમાં સંડોવાયેલા એક આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના સ્વામી નારાયણનગરથી મધુરમ્ સોસાયટી તરફના રસ્તા પરથી ગઈ તા.૯-૧૦-ર૪ના દિવસે પોલીસે કૌશીક નરોત્તમભાઈ સોમૈયા નામના શખ્સને દારૂની ૧૯ બોટલ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો હતો.

આ કેસમાં રવિ વિનોદભાઈ જેઠવા નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. અદાલતમાં તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રવિ જેઠવાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બી.એચ. જાડેજા, અભિજીતસિંહ જેઠવા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh