Advertisement
Author: નોબત સમાચાર

બસમાં સૂતેલા યુવાનને આવ્યો હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો

મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: નવસારીના એક યુવાન ગયા શુક્રવારે ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઓખા આવવા માટે નીકળ્યા પછી સીટમાં સુતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

નવસારીના છાપરા ગામમાં વસવાટ કરતા ધર્મેશભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.૩૭) નામના યુવાન શુક્રવારે નવસારીથી નંદ ટ્રાવેલ્સ નામની બસમાં ઓખા આવવા માટે નીકળ્યા હતા. તેઓ પોતાની સીટ પર સૂતા હતા તે દરમિયાન તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યાનું ઓખામાં આર.કે. બંદર પર મોહનભાઈની જેટીમાં રહેતા બળવંતભાઈ કાનજીભાઈ ટંડેલે પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh