Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. કાલિન્દી વહુજી પધારશેઃ વૈષ્ણવોને સંબોધનઃ બ્રહ્મસંબંધ અપાશેઃ
ભાટિયા તા. ૧૭ઃ કલ્યાણપુર તાલુકાના ગાગા-ગુરગઢ ગામની વચ્ચે આવેલ વૈષ્ણવોની શ્રી ગુંસાઈજીની ર૬ મી બેઠકમાં વર્ષોની પરંપરા મુજબ શ્રી નાગજીભાઈ ભટ્ટના ભાવનો આંબા-કેરીનો મનોરથ આખા વિશ્વમાં આ એક જ બેઠકજીમાં દર વર્ષે જેઠ સુદ છઠ્ઠના દિવસે યોજવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી દર વર્ષ ચારથી પાંચ હજાર વૈષ્ણવો આ આંબા-કેરી મનોરથનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તા રપ-પ-ર૦ર૩ ને જેઠસુદ છઠ્ઠના દિવસે ગાગા-ગુરગઢ શ્રી ગુંસાઈજીની બેઠકમાં આંબા-કેરીનો મનોરથ સમસ્ત વૈષ્ણવો દ્વારા ઉજવવામાં આવશે અને આ મનોરથમાં પ.પૂ. ગો. ૧૦૮ શ્રી કાલિન્દી વહુજીશ્રી નટવર ગોપાલ મહારાજશ્રી (દ્વારકા-બરડિયા-વેરાવળ-વડનગર-કંપાલા) વાળા પધારશે અને વૈષ્ણવોને આશીર્વચન-બ્રહ્મ સંબંધ સહિતનો લાભ આપશે.
મનોરથમાં રાસ મંડળી, પ્રસાદી, જારીજી, ચરણસ્પર્શ, બ્રહ્મ સંબંધ, વચનામૃત સહિતનો વૈષ્ણવોને લાભ મળી રહે તે માટેની હાલ વૈષ્ણવો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
આ અંગેની વધુ માહિતી માટે બેઠકના મુખ્યાજી કાનુભાઈ શર્મા-૯પ૩૭૮ ૪૦પ૦૦, દામભાઈ દાવડા-૯૪ર૬ર ૩૩૪૧૧, નિલેશ કાનાણી-૯૪ર૬ર ૬૦૧૭૧, નટુભાઈ દત્તાણી-૯૪ર૬૪ ૩૩૩૩૮, મેહુલ સામાણી-૯૪ર૭૪ ૯પર૯૧, જગુભાઈ ગોકાણી-૯૪ર૬૪ ૪ર૦ર૬ પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial