Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોળી જ્ઞાતિનો સમૂહલગ્નોત્સવ

૧પ નવદંપતીઓએ પ્રભૂતામાં પગલાં માંડ્યા

જામનગર તા. ૧૭ઃ તાજેતરમાં જામનગરના નાગેશ્વર કોલોનીમાં ગૃરૃ આશ્રમ બાપા સીતારામ મંદિર પાસે આવેલ જગ્યાએ સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ (કતપર વાળા) સમૂહ લગ્ન સમિતિ, નાગેશ્વર-જામનગર દ્વારા આઠમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧પ નવદંપતીઓએ પ્રભૂતામાં પગલાં માંડ્યા હતાં. આ સમૂહ લગ્નમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને સમૂહ ભોજનનો પ્રસાદ પણ લીધો હતો.

આ તકે સમૂહ લગ્નના ઉદ્ઘાટક મહંત શ્રી લક્ષ્મણદાસ ઉદાસીન (બડા અખાડા) ચોબારિયા હનુમાન, નાગેશ્વર દ્વારા ઉદ્ઘાટન સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મહંત શ્રી સુંદરદાસ બાપુ તથા અલગ અલગ જિલ્લાઓમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમૂહ લગ્નોત્સવમાં ભારત કેટરર્સ સ્ટાફ અને રમેશભાઈ બાંભણિયા (રસોયા), રામદેવ મિત્રમંડળ, ફ્રેન્ડસ ગ્રુપ, જય શ્રી મહાકાળી મિત્ર મંડળ, સ્વ. હેત નરેશભાઈ બાંભણિયા, સમૂહલગ્ન સમિતિ મહિલા મંડળ, હા મોજ હા ગ્રુપ, સર્વ શક્તિ દશામા ગ્રુપ, વી.ડી.જે.ડી. ગ્રુપ, બાપા સીતારામ મિત્ર મંડળ, શ્રી મહાકાળી મિત્ર મડળ, શ્રી વાકોલ મિત્ર મંડળ, ત્રિશૂલ મિત્ર મંડળ, શ્રી ખોડિયાર મિત્ર મંડળ, શ્રી બજરંગ યારાના યુવા ગ્રુપ (રાજકોટ) વગેરે દ્વારા જુદી જુદી સેવાઓ તથા સહયોગ આપ્યો હતો.

આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમિતિના દિગ્નેશભાઈ બારૈયા, કિશોરભાઈ સોલંકી, વિજયભાઈ પરમાર, ભાવેશભાઈ પરમાર, મહેશભાઈ બાંભણિયા, માધાભાઈ ડોણાશિયા, પ્રવિણભાઈ ઢાપા, રમેશભાઈ શિયાળ વગેરે સભ્યોએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh