Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજારોહણ, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા મહાયજ્ઞ યોજાયો
ખંભાળીયા તા.૧૭ઃ ખંભાળીયા તાલુકાના બેહ ગામે ઐતિહાસિક વીર વછરાજ જુંગીવારા વાછરાભાના સ્થાનકે જયાં પ૦૦ વર્ષ પહેલાં જુંગી જંગલમાં વાછરાડાડાએ ચારણ કન્યાના કનડગત કરતા રાક્ષસને માર્યો હતો અને ર૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટને બેહ ગામનો કર ભરીને જંુગીવારા વાછરાભાએ પરચો આપ્યો તે બેહ જુંગીવારા મંદિરે ર૯-૪-ર૩ ના સાતમો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે નવ વાગ્યે ચેતન મહારાજ દ્વારા મહાયજ્ઞ યોજાયો હતો તથા બપોરે બાર વાગ્યે મહાપ્રસાદી તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાત્રે ગૌશાળાના લાભાર્થે બ્રીજરાજદાન ગઢવી તથા વિજયભાઈ ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. જુંગીવારા અન્નક્ષેત્રના સ્વયંસેવકો તથા અગ્રણીઓ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું તથા આસપાસના ગામોના હજારો લોકો વરસતા વરસાદમાં પણ ઉમટ્યા હતાં. યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા આપસાસના ગ્રામજનો જોડાતા મેળા જેવું વાતાવરણ થઈ ગયું હતું. આ તકે સરકારી ગ્રાન્ટની જાહેરાત પણ થઈ હતી.
સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ડિ. બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, સરપંચ પ્રવિણભાઈ ગઢવી, અગ્રણીઓ વેરશીભાઈ ગઢવી, પરબતભાઈ ગઢવી, વિરેન્દ્રભાઈ જાડેજા સહિતના અનેક આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial