Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કસોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે આવેદન
ખંભાળીયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમા આમ આદમી પાર્ટી દ્વારા પી.એમ. કિસાન સન્માન નિધિના હપ્તાના મળવા અંગે વરસાદથી નુકસાન અંગે આવેદનપત્ર આપ્યું હતું.
મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભાણવડ તાલુકાના અંદાજે પાંચેક હજાર ખેડૂતોને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત રૃા. બે હજારનો બારમો તથા તેરમો હપ્તો ટેકનીકલ કારણોસર મંજુર ન થતા ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. છતાં હપ્તા આપતા નથી અને સંતોષકારક જવાબ પણ અપાતો નથી.
તાજેતરમાં પડેલા સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના શિયાળુ તથા ઉનાળુ પાકમાં નુકસાન થયું હોય અનેક સ્થળે પાકને ખૂબ નુકસાન થયું છે ત્યારે સત્વરે સહાય પેકેજ આપવાની પણ માંગ કરવામાં આવી હતી.
ભાણવડ આપના શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રામશીભાઈ અગ્રણીઓ જયકિશનભાઈ રાઠોડ, પ્રફુલભાઈ પોપલીયા, નિલેશભાઈ ખુંટી, લખનભાઈ ચાવડા, વિરેન્દ્ર નકુમ, મોહબીન હિંગોરી, અમીતભાઈ રાઠોડ, તુલસી ભગત, હેમંતભાઈ પરમાર, નિલેશભાઈ ઘેડીયા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial