Advertisement
Author: નોબત સમાચાર

કચ્છમાં ગઈ રાત્રે ૪.ર ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયોઃ સ્થાનિકો ભયભીત

કેન્દ્રબિન્દુ ખાવડાથી ૩૯ કિ.મી. દૂર

ભૂજ તા. ૧૭ઃ ગઈ રાત્રે કચ્છમાં અનુભવાયેલા ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રિબિન્દુ ખાવડા નજીક નોંધાયું હતું અને તીવ્રતા ૪.ર ની હતી. ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુક્સાનના સમાચાર નથી.

કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.ર નોંધાઈ હતી. ગઈકાલે આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ કચ્છના ખાવડાથી ૩૯ કિલોમીટર દૂર નોંધાયું હતું.

જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે ૧ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રાત્રિના સમયે અચાનક ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જયો હતો. ગત્ રાત્રિએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.ર ની નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ ખાવડાથી ૩૯ કિ.મી. દૂર નોંધાયું છે. આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુક્સાનના સમાચાર નથી.

આ અગાઉ પણ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ ધોળાવીરા નજીક હોવાનુ નોંધાયું હતું. આ બેઠકની તીવ્રતા ર.૭ રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. આ ઉપરાંત ર૮ મી એપ્રિલે બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બનાસકાંઠમાં ર૮ એપ્રિલે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર ૪.ર ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh