Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન ૩૬ ડીગ્રી યથાવત્

તાપ-બફારાથી લોકો અકળાયાઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરના તાપમાનમાં ગઈકાલે પવનની ઝડપમાં થોડો ઘટાડો નોંધાયા સિવાય કોઈ ફેરફાર નહીં જણાતા યથાવત્ તાપમાન જળવયું હતું. ખાસ કરીને બપોરે આકરા તાપ અને બફારાથી લોકો અકળાઈ ઊઠ્યા હતાં.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં કોઈપણ જાતની વધઘટ વગર મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ મહત્તમ ૭૭ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ખાસ કરીને બપોરે આકરા તાપના કારણે માર્ગો સુમસામ જોવા મળે છે અને લોકો પણ ગરમી અને બફારાથી અકળાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh