Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ: નગરપાલિકામાં વારસદારને રહેમરાહે નોકરીનો ઓર્ડર અપાયો

ખંભાળીયા તા. ૧૭ઃ ભાણવડ ન.પા.માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઢાંકેચાનું ૭-૧૦-રર ના ચાલુ ફરજે અવસાન થયું હતું જે પછી તેમના વારસદારને રહેમરાહે નોકરી પર લેવામાં આવતા ન હતાં.

ખંભાળીયા પાલિકાના કર્મચારી તથા રાજ્ય સફાઈ કામદાર મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા રાજ્ય પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા (ગુરૃજી) ના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક ન.પા. નિયામક ધીમંત કુમાર વ્યાસને ૧૮-૧૦-૧૭ ના પરિપત્ર અંગે તથા સરકારના ઠરાવો, વિવિધ પરીપત્રો સાથે રજુઆતો થતાં પ્રાદેશિક ન.પા. નિયામકે નિર્ણય કરીને સ્વ. રમેશ ઢાંકેચાના વારસદારને નિયુક્તિ રહેમરાહે આપવા હુકમ કરતા ભાણવડ પાલિકાના નવા ચીફ ઓફિસર ભાવીનભાઈ કાધાણી દ્વારા રાજ્ય મહામંત્રી રમેશભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં અરૃણભાઈ ઢાંકેચાને નિયુક્તિ હુકમ આપવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh