Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લામાં મદદનીશ ખેતી નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ 'જમીન ચકાસણી પ્રયોગશાળા' કાર્યરત છે. જેમાં ખેતીની જમીન (માટી) તેમજ પાણીના સેમ્પલ / નમૂનાનું ચેકીંગ / પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જામનગર જિલ્લાના જે ખેડૂત ખાતેદારો પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય, તો તે તમામ ખેડૂતોએ પોતાના ખેતરમાંથી જમીન (માટી) તેમજ પાણીનો નમૂનો એકત્રિત કરીને અત્રેની મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, સરકારી વસાહત કમ્પાઉન્ડ, વાલસુરા રોડ, બેડી વિસ્તાર, જામનગર ઉપરોક્ત સરનામાં પર પહોંચાડવાના રહેશે. રાજય સરકારના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબની ફી રૃા. ૧પ/ પ્રતિ સેમ્પલ / નમૂના લેખે ખેડૂતોએ અત્રેની કચેરીને જમા કરાવવાની રહેશે. ત્યારપછી તેમના નમૂનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જે અંગે જિલ્લાના તમામ ખેડૂતોને નોંધ લેવા માટે મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial