Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ-લિંબાયત-રાજકોટમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજશે ધીરેન્દ્ર શાસ્ત્રી

આયોજન પહેલા જ ઠેર-ઠેર વિરોધનો વંટોળઃ વિજ્ઞાન જાથાની આજે બેઠકઃ

અમદાવાદ તા. ૧૭ઃ ખૂબ જ ટૂંકા ગાળામાં હિન્દુ રાષ્ટ્રની માંગણી સાથે અને દિવ્ય દરબારો યોજીને પ્રચલિત થયેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. આ અંગે રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પણ થઈ રહ્યા છે.

બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ મહારાજના ભારતમાં લાખો અનુયાયીઓ અને ભક્તો છે અને હવે ધીરે ધીરે વિદેશોમાં પણ બાબાના ચાહકો વધી રહ્યા છે. બાગેશ્વર ધામમાં નેતાથી લઈને અભિનેતા સુધીની હાજરી નોંધાઈ છે. ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અનેક શહેરોમાં જાય છે અને શ્રી રામ કથા સાથે તેમના દિવ્ય ચમત્કારિક દરબારની સ્થાપના કરે છે.

તાજેતરમાં તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં દરબાર કર્યો હતો. આમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી કોર્ટમાં પહોંચ્યા હતાં તથા અન્ય ઘણાં રાજકારણીઓ અને નેતાઓએ બાગેશ્વર ધામમાં હાજરી આપી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા જ સંત ધીરેન્દ્રએ એક ચેનલમાં કહ્યું હતુંકે, જ્યાં વિજ્ઞાન સમાપ્ત થાય છે, ત્યાંથી અધ્યાત્મ શરૃ થાય છે. અમે સતત માનવ સેવા કરી રહ્યા છીએ. તેમજ કઈ વ્યક્તિએ ક્યું કામ કરાવવાનું છે. આ ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, બાગેશ્વર ધામ ખૂબ જુનું છે, પરંતુ મીડિયાના પ્રભાવને કારણે તે હવે લોકપ્રિય બની ગયું છે. આ સાથે ધામમાં દરરોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોઈપણ મનુષ્ય ભવિષ્ય કહી શકતો નથી, પરંતુ ગુરુ અને હનુમાનજીની કૃપાથી અમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ ચોક્કસપણે સૂચવીએ છીએ. તા. ર૯-૩૦ મે વર્ષ ર૦ર૩ ના કર્ણાવતી મહાનગર (અમદાવાદ) માં ધર્મ-કર્મ-જ્ઞાન-શ્રદ્ધા-ભક્તિ અને સનાતનના પ્રચાર માટે રાધિકા સેવા સમિતિ દ્વારા 'દિવ્ય દરબાર' એટલે કે સોમવાર અને મંગળવાર સાંજે પ વાગ્યાથી બાલાજીની ઈચ્છા સુધીનું આયોજન કરવામાં આવશે. આ 'દિવ્ય દરબાર'નું આયોજન શક્તિ ચોક, ચાણક્યપુરી સેક્ટર-૬, ઘાટલોડિયા એક્સટેન્શન, અમદાવાદમાં કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમના આશ્રયદાતા પુરુષોત્તમ આર. શર્મા અને માર્ગદર્શક આચાર્ય પ્રમોદ મહારાજ છે. અમિત પી. શર્મા, રાજેશકુમાર દોડકે, નીરજ શાસ્ત્રી, બિપીન મિશ્રા, મુન્નાલાલ શર્મા, અભિષેક શર્મા, સુભાષ દુબે અને સત્યપ્રકાશ દીક્ષિત સમિતિના તમામ સભ્યો હાજર રહેશે.

આ ઉપરાંત સુરતના લિબાવત અને રાજકોટમાં પણ આગામી દિવસોમાં દિવ્ય દરબારો યોજવાની જાહેરાત થઈ ગઈ છે, અને તેની સામે વિરોધના સૂર પણ ઊઠવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે આજે બપોરે વિજ્ઞાન જાથાની બેઠક પણ યોજાવા જઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh