Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તા. ૨૪ જુલાઈએ બ્લડ ડોનેશન કેમ્પ

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા, સ્વ. વિમલ ગલાણીની પુણ્યતિથિએ

                                                                                                                                                                                                      

જામનગર, તા. ૨૧: જામનગરમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ સ્વ. વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવાના ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય દિવ્યેશ અકબરીની આગેવાની હેઠળ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ તા. ૨૪-૦૭-૨૦૨૬ ને (શુક્રવાર)ના સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સેવા સમાજ, સરદાર પટેલ ચોક, રણજીત નગર, જામનગરમાં યોજાશે.

આયોજકો દ્વારા શહેરના યુવાનો, સમાજના આગેવાનો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. રક્તદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ અને થેલેસેમિયા સહિતના દર્દીઓને જીવનદાન મળી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh