Advertisement
Author: નોબત સમાચાર

પાકમાં દવાનો છંટકાવ કરતી વેળાએ અસર થતાં યુવાનનું મૃત્યુ

ડેરી આંબરડીમાં પ્રસર્યાે શોકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામજોધપુરના ડેરી આંબરડી ગામમાં પોતાના ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલા યુવાનને દવાની અસર થઈ ગયા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં રહેતા પરેશભાઈ ડાયાભાઈ પીપરોતર (ઉ.વ.૩ર) નામના યુવાન ગયા ગુરૂવારે સવારે પોતાના ખેતરમાં મગફળીના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા.

આ વેળાએ દવાની તેઓને અસર થઈ જતાં પરેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જગદીશભાઈ ડાયાભાઈ પીપરોતરે પોલીસને તેની જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh