Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર સિંચાઈ વિભાગ દ્વારા
જામનગર તા. ૧૪: જામનગર સિંચાઈ વિભાગ દ્વરા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, તા. ૧પ-૬-ર૦રપ થી ચોમાસાની શરૂઆત થઈ રહી છે. આથી ચોમાસા દરમિયાન ડેમના પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના છે. આથી ડેમના દરવાજા ખોલવાના અથવા દરવાજા વગરના ડેમમાંથી આકસ્મિક રીતે વધુ માત્રામાં પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના પરિણામે નદીના પટમાં પાણીનો વેગવાળો પ્રવાહ આવી શકે છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વરા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, તમારી અને તમારા જાનમાલની સુરક્ષા માટે ચોમાસા દરમિયાન નદીના પટમાં અવરજવર ન કરવી. નદીના પટમાં પ્રવેશ કરવો અત્યંત ખતરનાક અને જીવલેણ બની શકે છે. તમામ નાગરિકોને આ સૂચનાનું પાલન કરવા અને અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial