Advertisement
Author: નોબત સમાચાર

જાહેરનામાનો ભંગ કરી દરિયામાં ગયેલા બે માછીમાર સામે કાર્યવાહી

સલાયા બંદર પર એસઓજીનું ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: સલાયાના બે માછીમાર હાલમાં દરિયામાં જવા સામે પ્રતિબંધ મુકાયો હોવા છતાં માછીમારી માટે ગયા હતા. તેઓની સામે દ્વારકા એસઓજીએ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં આવેલા શાંતિનગરમાં વસવાટ કરતો એલિયાશ ઈકબાલ કારા નામનો માછીમાર પરવાનગી વગર જ અને હાલમાં ચોમાસાની સિઝનના કારણે માછીમારી ન કરવા જવા અંગે જાહેરનામુ  અમલમાં હોવા છતાં માછીમારી માટે જતા દેવભૂમિ દ્વારકા એસઓજીએ તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

આ જ રીતે સલાયાના બારલોવાસમાં રહેતો હાજી હસન ગંઢાર નામનો શખ્સ પણ જાહેરનામાનો ભંગ કરી અને પરવાનગી મેળવ્યા વગર જ દરિયામાં માછીમારી માટે જતા એસઓજીએ તેની સામે કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh