Advertisement
Author: નોબત સમાચાર

દાણીધારધામમાં ૪૦૨મો સમાધિ દિવસ ઉજવાશે

આવતીકાલ તા. ૧૫મી જૂન, રવિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: 'તું હી રામ પ્યારે રામ'ના નાદથી ગુંજતી તેમજ બાર જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી અતિ પ્રાચીન અને પૌરાણિક એવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંત શ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ દાણીધાર ધામને આંગણે શ્રી નાથજીદાદા તેમજ સમાધિષ્ઠ દિવ્ય જીવાત્માઓનો ૪૦૨ વર્ષના ઉપલક્ષમાં આગામી તા. ૧૫ જૂનના ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવવાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તદ્નુસાર તા. ૧૫ જૂન રવિવાર જેઠ વદ ચોથને દિવસે શ્રીનાથજીદાદાનો ૪૦૨ વર્ષ પૂરા થતા હોય, સંવત્સરી ઉત્સવ (સમાધિ દિવસ) ઉજવવામાં આવશે. જેમાં સવારે આઠ વાગ્યે સમાધિ પૂજન, નવ વાગ્યે ધ્વજારોહણ, ૧૦:૩૦ વાગ્યે ૫૧ થાળ રાખવામાં આવ્યો છે સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી કાનગોપીનો ભવ્ય કાર્યક્રમ રજૂ થશે.

શ્રીનાથજીદાદા ટ્રસ્ટ અને શ્રીનાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ વતી આયોજન આ દિવ્ય ઉત્સવમાં દેવદર્શન, સંત દર્શન વગેરે નો લાભ લેવા સેકવગણ, ભક્તજનોને પરિવાર સાથે પધારવા મહંતશ્રી સુખદેવદાસજી બાપુ ગુરૂ શ્રી ચત્રભુજદાસજી બાપુ (શ્રી ઉપવાસી બાપુ) એ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે તેમ ટ્રસ્ટી શ્રી શિવુભા ભાટ્ટીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh