Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૭૯ ટકાઃ તાપમાન ૧.૩ ડીગ્રી વધ્યું:
જામનગર તા. ૧૪: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૭૯ ટકા રહ્યું હતું. અસહ્ય ગરમી અને બફારાથી પ્રજાજનો આકૂળ-વ્યાકુળ થઈ ગયા હતાં.
જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા ઘટાડાના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી અને આંશિક વધીને લઘુતમ તાપમાન ર૯.૪ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૬ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું. ગરમી અને બફારાના ડબલ એટેકથી પ્રજાજનોની હાલત દયનીય બની ગઈ હતી. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરતાની સાથે જ લોકો પરશેવે રેબઝેબ બની ગયા હતાં. અસહ્ય ઉકળાટથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ગરમી અને બફારામાંથી રાહત મળે તે માટે જનતાએ એસી, એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial