Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આગામી તા. ર૦ અને શુક્રવારના સવારે ૧૧-૩૦ કલાકે મહાનગરપાલિકાના નવા બનાવાયેલ અટલ બિહારી વાજપેયી સભા ગૃહમાં યોજાનાર છે. આ સામાન્ય સભામાં મહાનગર પાલિકાના ચાર અધિકારીને બઢતી આપવાની દરખાસ્ત રજૂ થનાર છે.
આગામી તા. ર૦ ના મેયરના અધ્યક્ષસ્થાને મળનારી સામાન્ય સભા નવાનકોર બનાવાયેલા સભા ગૃહમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી છે, જેમાં જિગ્નેશ નિર્મલને આસી. કમિશનર (ટેક્ષ), મુકેશ વરણવાને આસી. કમિશનર (વહીવટ), નરેશ પટેલને કાર્યપાલક ઈજનેર (ડ્રેનેજ) અને ચીફ ઓડિટર તરીકે કોમલબેન પટેલને બઢતી આપવાની દરખાસ્ત રજૂ થનાર છે. જ્યાં ઠરાવ પસાર કર્યા પછી આખરી મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવશે.
આ ઉપરાંત સમાણા માર્ગે રંગમતિથી નદી પર બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ સામાન્ય સભામાં લાવવામાં આવનાર છે. આ તમામ દરખાસ્ત ઉપર વિપક્ષ દ્વારા ચર્ચામાં ભાગ લેવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial