Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત હોમગાર્ડઝમાં અધિકારીઓની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો પાયાવિહોણા

જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટનું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ સમગ્ર ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ માટેની ઓફિસર પરીક્ષામાં બેસવા માટે મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે અને ફક્ત ભાજપ તથા આરએસએસ સાથે જોડાયેલા સભ્યોને તેમજ પરિપત્ર મુજબ ઓછી હાજરીવાળાઓને પણ બેસવા દેવામાં આવ્યા છે અને બઢતી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવા આક્ષેપો તદ્ન પાયાવિહોણા, બેબુનિયાદ, હોમગાર્ડઝ સંસ્થાને બદનામ કરવા અને ખાતાકીય પરીક્ષાને ખોરંભે પાડવાના બદઈરાદાઓથી કરવામાં આવેલ છે. તેમ જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશભાઈ સરવૈયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

હોમગાર્ડઝ સંસ્થા શિસ્ત અને અનુશાસન સાથે ઈમાનદારીનું પણ ઉદાહરણ છે. એના સભ્યોને તાલીમ સોથ દેશ પ્રત્યેની નિષ્ઠા અને ઈમાનદારીના પાઠ શિખવાડવામાં આવે છે. જામનગર જિલ્લા સહિત ગુજરાતના દરેક જિલ્લામાં સરકાર અને હોમગાર્ડઝના નીતિ નિયમોનું દરેક જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ તથા વડી કચેરી દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

જેથી કાબેલિયત ના ધરાવતા સભ્યોને પણ અધિકારીની પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા છે એવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા અને સરકાર વિરોધી ખોટી માનસિક્તા ધરાવતા વ્યક્તિઓ દ્વારા ફેલવવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh