Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉંઘમાં પંખાનો વાયર અડકી જતાં યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક યુવાનની પાંચેક વર્ષથી કેન્સરની સારવાર ચાલુ હતી. દરમિયાન તબીયત બગડતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના સિદ્ધપુરમાં પણ કેન્સરગ્રસ્ત યુવાન પર કાળનો પંજો પડ્યો છે. ખંભાળિયા શહેરમાં રહેતા એક યુવાન રાત્રે સુતી વખતે ટેબલ ફેનના વાયરને ઉંઘમાં જ અડકી જતાં વીજ આંચકો લાગતા મોતને શરણ થયા છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા વસંતલાલ રઘુભાઈ કટેશીયા (ઉ.વ.૪૫) નામના સતવારા યુવાનને પાંચેક વર્ષથી ગળાના ભાગે કેન્સર થયું હતું તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન ગયા રવિવારે વસંતલાલની તબીયત બગડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું રમેશભાઈ કટેશીયાએ જાહેર કર્યું છે.
ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામના જમનભાઈ દેવાભાઈ નકુમ નામના ચુમાલીસ વર્ષના સતવારા યુવાન એકાદ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. ગઈકાલે તેઓને તકલીફ વધી જતાં અને શ્વાસ ઉપડી આવતા તેઓનું મૃત્યુ નિપજ્યાનંુ અજુભાઈ દેવાભાઈ નકુમે પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં રહેતા મુકેશભાઈ જેઠાભાઈ ચાંડેગરા (ઉ.વ.૪૫) નામના યુવાન બુધવારે રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા ત્યારે પથારી નજીક તેઓએ ટેબલ ફેન મૂક્યો હતો. ઉંઘમાં તેઓનો હાથ પંખાના વાયરને અડકી જતાં વીજ આંચકો લાગવાથી મુકેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ શાંતિલાલ ચાંડેગરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial