Advertisement
Author: નોબત સમાચાર

મનહરલાલજી મહારાજની પૂણ્યતિથિ નિમિતે ૧૬મી જૂને જામનગર-રાજકોટ વિવિધ કાર્યક્રમો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ગીતા વિદ્યાલયના અધિષ્ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજની આગામી તા. ૧૬ જૂનના રોજ ૨૪મી પૂણ્યતિથિ નિમિતે જામનગર અને રાજકોટમાં વિવિધ સેવા કાર્યો કરવામાં આવશે. જેમાં જામનગરના કે.વી.રોડ પર સ્થિત ગીતા વિદ્યાલયમાં બાળકોને સ્કૂલબેગ, ચોપડા, કંપાસ, લંચબોક્સનું વિતરણ કરવામાં આવશે.

રાજકોટના ગીતા વિદ્યાલયમાં સાંજે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યા દરમ્યાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે મનહરલાલજી મહારાજે આજથી ૭૫ વર્ષ પૂર્વે છોટી કાશી જામનગરમાં અને ૬૦ વર્ષ પૂર્વે રાજકોટમાં ગીતા વિદ્યાલયની સ્થાપના કરી અને નાના બાળકોને સંસ્કૃત શ્લોકની અંતાક્ષરી રમતા કર્યા. તથા બાળકો દ્વારા ગીતા જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણેે હજારો બાળકોને ભગવદ્ગીતા, રામાયણ તથા સંસ્કૃત સ્તોત્રનું અધ્યયન કરાવીને સંસ્કાર સિંચન કર્યું હતું. આજથી ૭૨ વર્ષ પૂર્વે જામનગરમાંથી ગુંજતો થયેલો ભગવદ્ગીતાનો નાદ આજે ગીતા વિદ્યાલય સ્વરૂપે ગુંજી રહ્યો છે. તેઓએ જામનગરમાં એકજ માસ (કારતક માસ) માં એકજ શહેર (જામનગર) માં બે અષ્ટોત્તરશત (૧૦૮) શ્રીમદ્ ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઈતિહાસ   સર્જયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh