Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં શિક્ષકોની રોકાયેલી ભરતી અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીની તજવીજ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રપ હજાર જેટલા શિક્ષકોની માધ્યમિક, ઉ. માધ્યમિક તથા પ્રાથમિક વિભાગમાં ભરતી કરવાની જાહેરાતને એક વર્ષ પછી પણ આ કાર્યવાહી પૂર્ણ ના થતા તથા શિક્ષકોની હજારો ખાલી જગ્યાઓ વચ્ચે નવું સત્ર શરૂ થઈ જવા છતાં વિદ્યા સહાયકનું લોલીપોપ પકડાવી તંત્રએ વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુક્સાન થતું હોય, આ બાબતે જાહેર હિતની વાલીઓ દ્વારા અરજી કરવાની તજવીજ થતા ભારે ચર્ચા જાગી છે.

નિયમોનું ઉલ્લંઘન

રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના ત્રણ મહત્ત્વના નિયમોનું રાજ્ય સરકાર જ ઉલ્લંઘન ભંગ કરતી હોય તેવું આમાં થાય છે. રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર છાત્રને છે, પણ શિક્ષક જ ના હોય તો તે અધિકાર ક્યાંથી મળે? ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો નિયમ છે. પ્રાથમિક શિક્ષણ કોઈ ના લે તો તેના વાલીને દંડની જોગવાઈ છે. તો ફરજિયાત શિક્ષણ માટે ફરજિયાત શિક્ષક હોવા જરૂરી છે જેનો ભંગ છે અને કેન્દ્ર સરકારના બંધારણીય અધિકારી સમાનતાના હક્કનો પણ ભંગ થાય છે. કેમ કે બીજા રાજ્ય-જિલ્લામાં શિક્ષકો હોય અને બીજામાં નહીં.

વહીવટી તંત્ર જવાબદાર

રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયાને મંજુરી આપી તેના માટે જરૂરી બજેટ ફાળવી દીધું પ્રક્રિયા થઈ, જાહેરાત આવી, લાયક શિક્ષકોએ અરજીઓ કરી, મેરીટ બન્યું અને હવે ભરતી નથી થતી તે માટે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જ જવાબદાર છે જે માટે પગલાં લેવા જ પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh