Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સતત ર૧ મા વર્ષે મેઘરાજાને રિઝવવા માટે સેવાકિય ભંડારો

કૃષ્ણનગર યુવા ગ્રુપ તથા મહિલા મંડળ દ્વારા ૯૦૦ કિલો ઘઉં અને ૩૦૦-૩૦૦ કિલો ગોળ અને તેલથી બનેલા લાડુંનું વિતરણ

                                                                                                                                                                                                      

જામનગરના કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગાયમાતા અને શ્વાન વિગેરે માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મેઘરાજાને રિઝવવાના શુભ હેતુથી ગ્રુપના સર્વે સભ્યો દ્વારા ૯૦૦ કિલો ઘઉંનો લોટ, ૩૦૦ કિલો ગોળ તથા ૩૦૦ કિલો તેલનો ઉપયોગ કરીને લાડવા બનાવવામાં આવ્યા છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી ગૌશાળાઓ સહિતના સ્થળોએ તેમજ જામનગર શહેર આસપાસના અંદાજે ૪૦ જેટલા ગામોમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા કૃષ્ણનગર યુવા ગ્રુપના ભાઈઓ તથા મહિલા મંડળના બહેનો સહિત ૧૦૦ થી વધુ સ્થાનિકોની મોટી ટીમ દ્વારા છેલ્લા ર૧ વર્ષથી આ ભંડારો યોજવામાં આવે છે. ચોમાસું સારૂ થાય તેવા હેતુથી આ સેવા કાર્ય કરવામાં આવે છે. જેમાં ભાઈઓ દ્વારા લાડવાની સામગ્રી તૈયાર કરવામાં આવે છે, અને બહેનો દ્વારા લાડવા બનાવવામાં આવે છે. તૈયાર થયેલા લાડવાઓને બોક્સમાં પેકીંગ કરીને જામનગર શહેર તથા આસપાસના ગામોમાં વિતરણ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh