Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે નિવેદન નોંધી ગુન્હાની નોંધ કરીઃ
જામનગર તા. ૧૪: જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક પરિણીતાએ પતિ તથા જેઠાણીએ ત્રાસ આપી પજવતા નાસીપાસ પરિણીતાએ ગુરૂવારે રાત્રે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી છે. સારવારમાં રહેલી આ પરિણીતાનું નિવેદન નોંધી પોલીસે પતિ તથા જેઠાણી સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર સનસિટી-ર સોસાયટીમાં રહેતા અમીનાબેન વાઘેર (ઉ.વ.૩૫)ના નિકાહ બેડીના જુમ્મા મસ્જિદ ચોકમાં રહેતા મુસ્તાક સુલેમાન નોતીયાર સાથે થયા હતા.
ત્યારપછી લગ્નજીવન દરમિયાન તેણીને પતિ મુસ્તાક સુલેમાન તથા જેઠાણી જેનમબેન નુરમામદ નોતીયારે નાની નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી નાખવા ઉપરાંત ગાળો ભાંડી મારકૂટ કરતા નાસીપાસ થઈ ગયેલા અમીનાબેને બુધવારે સાંજે કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું.
આ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે પતિ તથા જેઠાણી સામે બીએનએસની કલમ ૮૫, ૫૪, ૩૫૨, ૧૧૫ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial