Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાએ અકળ કારણથી ગળાફાંસો ખાધોઃ
જામનગર તા. ૧૪: લાલપુરના કાનાલુસ ગામથી મોડપર વચ્ચેના રંગપર સીમ વિસ્તારમાં ગઈરાત્રે દોઢેક વાગ્યે પસાર થયેલી એક ટ્રેન હેઠળ સેવકભરૂડીયા ગામના વિદ્યાર્થીએ અકળ કારણથી પડતું મૂકી આત્મહત્યા વ્હોરી લીધી છે. ખંભાળિયાના ધરમપુરમાં એક પ્રૌઢાએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના સેવકભરૂડીયા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા કરણ ધનાભાઈ ઝાખર નામના એકવીસ વર્ષના વિદ્યાર્થીએ ગઈરાત્રે એકાદ વાગ્યે કાનાલુસ ગામથી મોડપર વચ્ચે આવેલા રંગપર ગામના સીમ વિસ્તારમાં પહોંચી રેલવે ટ્રેક નજીક જઈ ત્યાંથી ટ્રેન પસાર થવાની રાહ જોઈ હતી.
ત્યારપછી દોઢેક વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ આ વિદ્યાર્થીએ ઝંપલાવી લીધુ હતું. ગંભીર ઈજા પામેલા કરણનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારને જાણ કરતા દોડી આવેલા દેવાભાઈ નારણભાઈ જાખરે મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. આ યુવાને ક્યા કારણથી રેલવે ટ્રેક પર ટ્રેન આડે ઝંપલાવી આત્મહત્યા કરી તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં આંબા વાડી સ્કૂલ પાસે રહેતા જયાબેન રમેશભાઈ દુધૈયા નામના બાવન વર્ષના પ્રૌઢાએ ગઈકાલે બપોરે બારેક વાગ્યે કોઈ અકળ કારણથી પોતાના ઘરમાં છતમાં રહેલા પીઢીયામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પુત્ર રવિભાઈ દુધૈયાએ પોલીસને જાણ કરી છે. ખંભાળિયા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial