Advertisement
Author: નોબત સમાચાર

નિકાવામાં પુત્રોના સગાઈ-લગ્નના ખર્ચ અંગે ચિંતા પછી પ્રૌૈઢનું વિષપાન

રાજકોટ દવાખાને મૃત્યુ નિપજતા અરેરાટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: કાલાવડના નિકાવામાં વસવાટ કરતા એક પ્રૌઢે પોતાના બે પુત્રના સગાઈ, લગ્નના ખર્ચ અંગે ચિંતા કર્યા પછી શુક્રવારે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં રાજકોટ ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં વસવાટ કરતા દિનેશભાઈ પરસોત્તમ અકબરી નામના બાવન વર્ષના પ્રૌઢે ગયા શુક્રવારે બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પ્રૌઢને ચકાસ્યા પછી ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર કિશનભાઈ અકબરીએ પોલીસને જાણ કરી છે. તેઓનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ દિનેશભાઈના બંને પુત્રના સગાઈ-લગ્ન બાકી હતા તેના ખર્ચ અંગે સતત ચિંતા અનુભવતા દિનેશભાઈએ શુક્રવારે ઝેરી દવા પી લીધી હતી. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh