Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝ પર જવાનો સાથે કરી મુલાકાત

જાંબાઝ જવાનો સાથે હળવાશની પળોમાં કરી વાતચીત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા પછી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી હતી. અને વાયુ સેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી.

વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ છે.

તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઊભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.

ઉલ્લેખનિય છે કે, ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh