Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના છ કેસમાં રાજકોટના આસામીને સાત વર્ષની કેદની સજા

રૂ.પ૭ લાખ વળતર પેટે ચૂકવવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૩ : જામનગરના કેટલાક આસામીઓને શેરબજારમાં રોકાણના નામે મોટી રકમ મેળવી લીધા પછી વળતર ન ચૂકવી શકનાર આસામીએ રકમ પરત આપવા આપેલા ચેક પરત ફર્યા હતા. છ આસામીએ તેની ફરિયાદ કોર્ટમાં કરી હતી. તમામ કેસમાં અદાલતે આરોપીને કુલ સાત વર્ષની કેદની સજા અને રૂ.પ૭ લાખના વળતર ચૂકવવાનો હુકમ કર્યાે છે.

જામનગરના લલીતભાઈ બોડા તેમજ જયોત્સનાબેન બોડા, નીતીન ગોસાઈ, પ્રશાંત પુંજાણી નામના ચાર આસામીએ અનુક્રમે રૂ.૩૨ લાખ, રૂ.૧૮ લાખ, રૂ.૨ લાખ તથા રૂ.પ લાખ રાજકોટના પ્રદીપ ખોડાભાઈ ડાવેરા દ્વારા શરૂ કરવામાં આવેલી સમય ટ્રેડીંગ નામની પેઢીમાં રોક્યા હતા.

ઉપરોક્ત ચાર આસામી ઉપરાંત અન્ય આસામીઓએ પણ રૂ.૫૭ લાખ સમય ટ્રેડીંગમાં રોક્યા હતા. તેઓને મોટું રિટર્ન આપવાનો વાયદો કર્યા પછી પ્રદીપ ડાવેરાએ તે રકમ પરત આપવા ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફરતા તેની સામે છ આસામી એ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદો ચાલી જતાં અદાલતે આરોપી પ્રદીપ ડાવેરાને અલગ અલગ છ કેસમાં કુલ સાત વર્ષની કેદ અને સજા રૂ.૫૭ લાખનું વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો દરેક કેસમાં વધુ છ મહિનાની વધુ કેદનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh