Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને ધૂમ્બો મારનાર જામજોધપુરના ત્રણ વેપારીના છ દિવસના રિમાન્ડ મળ્યા

સતાપરના ખેડૂતોએ વેચી હતી પોતાની જણસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ૩ વેપારીએ કેટલાક ખેડૂતોને રૂ.૩૨ લાખનો ધૂમ્બો મારી દીધાની પોલીસમાં કરાયેલી ફરિયાદ પછી આરોપી હાજર થઈ ગયા હતા. અદાલતે તેઓને છ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.

જામજોધપુર તાલુકાના સતાપરના ખેડૂતોની જણસ ઉધારમાં રાખી લીધા પછી જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવનાર રમેશ મથુરદાસ વિઠ્ઠલાણી, ગોપાલ મથુરદાસ તથા કિશન રમેશભાઈ વિઠ્ઠલાણી નામના ત્રણ વેપારી નાસી ગયા હતા.

આ વેપારીઓએ અંદાજે રૂ.૩ર લાખનો ધૂમ્બો માર્યાની ફરિયાદના આધારે તપાસ કરાતી હતી. જેમાં ત્રણેય વેપારી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. આ વેપારીઓની ધરપકડ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા અદાલતે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh