Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારંવાર પ્રયાસો છતાં સરકારી યોજનાઓ હેઠળ નિર્મિત
જામનગર તા. ૧૩: જામનગર મહાનગરપાલિકા પોતાની વિવિધ આવાસ યોજનાના મકાનોમાં દુકાનો બનાવી તેનું વેંચાણ કરવામાં આવ્યું છે. તેમાંથી આવાસ બાંધકામનો મોટાભાગનો ખર્ચ વસૂલી લેવામાં આવ્યો છે, પરંતુ અમુક દુકાનો અનેક પ્રયત્નો છતાં વેંચાણ થતી નથી. શા માટે આ દુકાનો વેંચાણ થતી નથી એ પ્રશ્ન સતાવી રહ્યો છે.
જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કરેલા આવાસોના નિર્માણ સ્થળે રોડ સાઈડમાં દુકાનો-ઓફિસો બનાવાઈ છે, પરંતુ શહેરમાં અનેક આવાસ યોજનાના સ્થળે દુકાનોનું વેંચાણ થતું નથી, અને તેના વેંચાણ માટે અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા છે. છતાં પણ વેંચાણ થતું નથી.
એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળના વિસ્તારમાં એક ડઝન દુકાન વેંચાણ માટે સાત વખત પ્રયત્ન કરવામાં આવ્યો છે. મયુરનગર વિસ્તારમાં ૪ દુકાનો માટે દસ વખત પ્રયત્ન કરાયો છેબેડી ઓવર બ્રીજ પાસે ર૩ દુકાનોના વેંચાણ માટે ૬ વખત પ્રયત્ન થયા છે, તો ગોલ્ડન સિટી પાસેના આવાસ યોજનામાં ૬૪ દુકાનોના વેંચાણ માટે ૬ વખત પ્રયત્ન કરવામાં આવ્યા છે, છતાં વેંચાણ થયું નથી.
જ્યારે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે શા માટે દુકાનોનું વેંચાણ થતુ નથી, શું ભાવ વધુ છે? કે અન્ય કોઈ કારણ છે. આ પૈકી અમુક દુકાનો પ્રાઈમ લોકેશનમાં મોકાની દુકાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial