Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

વાર્ષિક પાટોત્સવ અંતર્ગત તા. ૧૫થી ૧૮ સુધી

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૩: સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ, દ્વારકા-જામનગરના સહયોગથી દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ આદિદેવોના દ્વિતીય વાર્ષિક પાટોત્સવ અંતર્ગત  તા. ૧૫-૦૫-૨૦૨૫ થી ૧૮-૦૫-૨૦૨૫ના દરમ્યાન ચતુઃદિવસીય સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન સવારે ૯ થી ૧૨ દરમ્યાન કરવામાં આવ્યું છે. તા. ૧૫મીએ આંખના નંબરના ચશ્માનું વિતરણ, તા. ૧૬મીએ નેત્રયજ્ઞ, તા. ૧૭મીએ હોમિયોપેથી તથા ફીઝીયોથેરાપી કેમ્પ તથા તા. ૧૮મીએ દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો વધુમાં વધુ સ્થાનીય જરૂરિયાતમંદો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh