Advertisement
Author: નોબત સમાચાર

વાલસુરાના સિવિલીયન કર્મચારીનું સુઈ ગયા પછી ઉંઘની હાલતમાં નિપજ્યું મૃત્યુ

જોડિયાના પીઠડમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના આઈએનએસ વાલસુરામાં સિવિલીયન કવાર્ટરમાં રહેતા એક કર્મચારી રવિવારે બપોરે સૂઈ ગયા પછી ગઈકાલ સુધી નહીં ઉઠતા તેઓનું નિદ્રાની હાલતમાં મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે જોડિયાના પીઠડ ગામમાં એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામનગરના બેડેશ્વર નજીક આવેલા વાલસુરા સ્થિત આઈએનએસના સીવિલીયન એકોમોડેશનમાં વસવાટ કરતા કર્મચારી કિશોરભાઈ ભોગીલાલ જોષી (ઉ.વ.૫૨) નામના પ્રૌઢ રવિવારે બપોરે પોતાના રહેણાંકમાં નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે દસ વાગ્યા સુધી નહીં ઉઠતા તેમના બહેન મીનાક્ષીબેને ઉઠાડતા કિશોરભાઈ બેભાન જેવી હાલતમાં જણાઈ આવ્યા હતા. તેઓને સારવાર માટે નેવી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મીનાક્ષીબેને બેડી મરીન પોલીસ સ્ટેશનને તેની જાણ કરી છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામના પટેલ મનસુખભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (ઉ.વ.પર) નામના પ્રૌઢને ગઈકાલે બપોરે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ધ્રોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે હૃદયરોગના હુમલાથી આ પ્રૌઢનું મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. વિનોદભાઈ ભોજાણી એ પોલીસને વાકેફ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh