Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર

ભારતીય સેના દ્વારા ઓપરેશન કેલર હેઠળ

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. ૧૩: જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશન હેઠળ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર થયા છે.

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેનાએ આતંકવાદી સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ તરફથી ફાયરીંગ કરાયા પછી સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જો કે, હજુ સુધી આ આતંકવાદીઓના પહલગામ હુમલાના કનેક્શન વિશે કોઈ પુરાવા સામે નથી આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરના શુકરૂ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર અથડામણ કુલગામ જિલ્લાથી શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જો કે સેનાની જવાબી કાર્યવાહી પછી અથડામણ શરૂ થઈ હતી, જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓના મોત નિપજ્યા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ યથાવત્ છે. નોંધનિય છે કે, પહલગામમાં રર એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ર૬ લોકોના મોત પછી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં શોધખોળ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh