Advertisement
Author: નોબત સમાચાર

છૂટાછેડા બાબતે દંપતી વચ્ચે વિખવાદ પછી સાળા-બનેવી, પત્ની વચ્ચે મારામારી

બંને પક્ષે નોંેંધાવી સામસામી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના રણજીતસાગર રોડ પર એક રેસ્ટોરન્ટમાં ગયા શનિવારે બપોરે પતિ, પત્ની, સાળા વચ્ચે સરાજાહેર મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પત્નીના કહેવા મુજબ છૂટાછેડા બાબતે સમજાવટ કરવા ગયા ત્યારે પતિએ હુમલો કર્યાે હતો અને પતિએ રેસ્ટોરન્ટ પર આવી પત્ની તથા સાળાએ મારકૂટ કર્યાની વળતી ફરિયાદ કરી છે.

જામનગરના વસંત વાટીકા વિસ્તારમાં વસવાટ કરતા પ્રીતિબેન વસંતભાઈ દાણીધારીયા અને તેમના મોટાભાઈ અમિત દાણીધારીયા શનિવારે બપોરે સાધનાકોલોની નજીક આવેલી પીત્ઝા કીંગ રેસ્ટોરન્ટ પર ગયા હતા. જ્યાં તેઓ પ્રીતિ બેનના પતિ રાકેશ છગનભાઈ કણઝારીયા સાથે ડીવોર્સ બાબતે સમજાવટ કરતા હતા ત્યારે ઉશ્કેરાયેલા રાકેશે ગાળો ભાંડી બોલાચાલી શરૂ કર્યા પછી અમિતને ફડાકો ઝીંકી દીધો હતો અને ઢીકા પાટુથી માર માર્યાે હતો. આ બાબતની પ્રીતિબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તે ફરિયાદની સામે શાક માર્કેટ નજીક ચારણફળીમાં રહેતા અને પીત્ઝા કીંગ રેસ્ટોરન્ટ ચલાવતા રાકેશ છગનભાઈ કણઝારીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ શનિવારે બપોરે તેમના પત્ની પ્રીતિબેન અને સાળો અમિત જગદીશભાઈ તેમના રેસ્ટોરન્ટ પર આવ્યા હતા. જ્યાં બંને વ્યક્તિએ ગાળો ભાંડ્યા પછી પ્રીતિબેને ચાકુ ઉપાડી ઝપાઝપી કરી હતી અને અમિતે ઢીકાપાટુથી માર મારી ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh