Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયર ખેંચતી વેળાએ વીજ પ્રવાહ વહેતો થયોઃ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળીયાના બજાણા ગામ પાસે આજે સવારે વીજ કંપનીના ઉભા કરવામાં આવી રહેલા થાંભલાઓ પરથી વાયર ખેંચવાના કામ પર રહેલા ત્રણ શ્રમિકને કોઈ રીતે શરૂ થઈ ગયેલા વીજ પ્રવાહના કારણે શોર્ટ લાગ્યો હતો. સારવારમાં ખસેડાઈ રહેલા આ શ્રમિકોમાંથી બેના માર્ગમાં મૃત્યુ નિપજ્યા છે.
ખંભાળિયા તાલુકાના બજાણા ગામ પાસે વીજ કંપનીના થાંભલા ઉભા કરવાના ચાલી રહેલા કામના સ્થળે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. આ સ્થળે કેટલાક પરપ્રાંતીયો નવા ઉભા કરેલા થાંભલા પરથી વાયર ખેંચી રહ્યા હતા. આ વેળાએ કોઈ કારણથી વીજ પ્રવાહ શરૂ થઈ જતાં ત્રણ પરપ્રાંતીય શ્રમિક ફેંકાઈ ગયા હતા. જેઓને સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. જેમાં બે પરપ્રાંતીયના હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં મૃત્યુ નિપજ્યા છે અને ત્રીજા શ્રમિકને સારવાર આપવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial