Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવાન રવિવારે લાપત્તા બન્યાની કરાઈ જાણ

યુવકના ફોટો, વર્ણન પરથી તપાસ શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ગોકુલનગરમાં રહેતા એક યુવાન રવિવારે પોતાના ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં તેમના નાના ભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ગોકુલનગર નજીક જકાતનાકા પાસે વસવાટ કરતા દિલીપભાઈ શાંતિભાઈ રામાવત નામના અઠ્યાવીસ વર્ષના બાવાજી યુવાન રવિવારે સવારે પોતાના ઘરેથી નીકળ્યા પછી નવ વાગ્યે કામ પર પહોંચી જઈશ તેમ કહીને ગયા હતા.

ત્યારપછી દિલીપભાઈ ગુમ થઈ જતાં તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તે પછી પણ પત્તો નહીં લાગતા આ યુવાન ગુમ થયાની તેમના નાનાભાઈ પિયુષ રામાવતે પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનો ફોટો, વર્તન તથા મોબાઈલ નંબર મેળવી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh