Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બાળલગ્ન અટકાવતી ૧૮૧ ટીમઃ બાળ સુરક્ષા અધિકારી દોડી ગયા

તરૂણીની ઉંમર અઢાર કરતા ઓછી હોવાની જાણ થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના એક વિસ્તારમાં તરૂણીના લગ્ન યોજાયા હોવાની વિગતો મળતા દોડી ગયેલી ૧૮૧ની ટીમે તપાસ કરતા નવોઢાની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોવાનું ખૂલ્યું હતું. બાળસુરક્ષા અધિકારી અને પોલીસ ટીમ સ્થળ પર આવી ગયા હતા અને બાળ લગ્ન અટકાવાયા હતા.

જામનગરના એક વિસ્તારમાં કાલે યોજાયેલા લગ્નમાં જેના લગ્ન થઈ રહયા હતા તે નવોઢા અઢાર વર્ષથી ઓછી વયની હોવાનું કોઈએ ફોન મારફત ૧૮૧ અભયમને જણાવતા ૧૮૧ની ટીમ તે સ્થળે પહોંચી હતી.

તે સ્થળે જઈને તપાસ કરાતા જેના લગ્ન નિર્ધાર્યા હતા તે નવોઢા અઢાર વર્ષથી ઓછી વયની હોવાનું અને તેણીની મરજી વિરૂદ્ધ લગ્ન કરાવાતા હોવાનું ખૂલ્યું હતું. તેથી જિલ્લા બાળસુરક્ષા એકમના અધિકારી અને પોલીસને ૧૮૧ની ટીમે જાણ કરી હતી. બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર સહિતનો સ્ટાફ ધસી આવ્યો હતો અને તેઓની મધ્યસ્થીથી બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh