Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમના સહયોગથી
જામનગર તા. ૧૩: જામનગરના વી. વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા સાંસદ પૂનમબેન માડમના સહયોગથી નેત્ર-દંત તથા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ૧૫ના સવારે ૯ થી ૧૨ પંચામૃત આવાસ યોજના, બી વીંગ, ગ્રાઉન્ડ ફલોર, શરૂ સેકશન રોડ, એમ.પી. શાહ ઉદ્યોગનગર, ગેઈટ નં.૨, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી, દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા, અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા વી. વી. ત્રિવેદી ચેરી.ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial