Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા
જામનગર તા. ૧૩: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૦ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ અસહ્ય બફારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાનનો પારો ૩૪.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
હાલાર સહિત રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે સાચી પણ પડી રહી છે. જામનગર જિલ્લામાં પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો.
જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે આંશિક વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. અસહ્ય બફારાથી પરશેવે રેબઝેબ બનીને લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૪.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રીથી વધુ રહેતા ગઈકાલ બપોરે પણ ગરમી યથાવત્ રહી હતી.
જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાસ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial