Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ સપ્તાહ પૂર્વે ઔદ્યોગિક વિસ્તારમાં
જામનગર તા. ૧૩: જામનગરના એક ઔદ્યોગિક વિસ્તારમાં ત્રણ સપ્તાહ પૂર્વે એક કર્મચારી અગાસી પરથી દોરડું નાખતા હતા ત્યારે તેઓને વીજ કરંટ લાગ્યો હતો. આ કામદારનું વધુ સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગોકુલનગર નજીકના પટેલ એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં ત્રણ સપ્તાહ પૂર્વે અજયભાઈ નવીનભાઈ ભુવા નામના પટેલ કર્મચારી કામ કરતા હતા ત્યારે અગાસી પરથી દોરડું નાખવા માટે સૂચના આપવામાં આવતા આ કર્મચારી અગાસીએથી દોરડંુ નાખી રહ્યા હતા.
આ વેળાએ પાંચેક ફૂટ દૂરથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનમાં ચુંબકીય અસરના કારણે તણખો થયા પછી અજય ભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. તેના કારણે પટકાઈ પડેલા અજયભાઈને ગંભીર ઈજા થઈ હતી.
સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા આ કર્મચારીનું મૃત્યુ નિપજ્યું છે. ખીજડા મંદિર સાથે જોડાયેલા આ પ્રૌઢ તેમના પત્ની અને બે સંતાનને રડતા છોડી ગયા છે. શહેરી વિસ્તારમાં જોખમી હાઈટેન્શન વીજલાઈન નીચે થતાં આડેધડ બાંધકામના કારણે સુરક્ષાનો પ્રશ્ન જોખમી અને ગંભીર બની રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial