Advertisement
Author: નોબત સમાચાર

સગીર વયના બાળકનું જિલ્લા બાળ સુરક્ષા એકમે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

જામનગર રેલવે સ્ટેશન પરથી મળી આવેલ

 જામનગર તા. ૮: જામનગર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસને એક પરપ્રાંતિય સગીય વયનું બાળક મળી આવ્યું હતું. ત્યારપછી આ બાળકને બાળ કલ્યાણ સમિતિ જામનગર સમક્ષ લઈ જવામાં આવ્યું હતું, અને સમિતિ દ્વારા બાળકની પૂછપરછ કરવામાં આવતા મૂળ બિહાર રાજ્યનો હોવાનું જણાવેલ અને પોતાના વતન જવા માટે પિતાને જાણ કર્યા વગર ઘરેથી પોતાના એક દૂરના ભાઈ સાથે જવા નીકળ્યો હતો. બાદમાં તેના ભાઈએ ઘરે જવાની ના પાડતા સગીર બાળક પોતાની જાતે તેમના વતન બિહાર જવા નીકળી જતા જામનગર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો.

પૂછપરછ પછી બાળ કલ્યાણ સમિતિ જામનગર દ્વારા સગીર બાળકને તાત્કાલિક સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં આશ્રિત કરવામાં આવેલ અને બાળકનું કુટુંબમાં પુનઃ સ્થાપન થાય તે હેતુથી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા વાલીનો સંપર્ક કરી જાણ કરવામાં આવતા બાળકના પિતા તેને લેવા પહોંચ્યા હતાં, જ્યાં નિયમ મુજબની જરૂરી કાર્યવાહી કરી બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યું હતું.

આ તકે બાળ કલ્યાણ સમિતિ જામનગરના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી, સભ્યશ્રીઓ જયેશકુમાર કારસારિયા અને નિશાંતભાઈ અગારા હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh