Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછત સર્જાતા ફરી ટ્રેક્ટરો પર ખેડૂતોની કતારો લાગવામાં આવવાના દૃશ્યો જોવા મળ્યા હતાં.
ખંભાળિયામાં ખાતરની ગાદી એક જ આવતા તે બે સંસ્થાઓમાં વહેંચાતા સર્વોદય જુથ સેવા સહકારી મંડળી દ્વારા ૩૮૯ થેલી મળી હોય તેનું વિતરણ શરૂ કરતા ખેડૂતોની કતારો લાગી હતી, જો કે લાંબી કતામાં ઊભેલા ખેડૂતના જણાવ્યા પ્રમાણે જથ્થો ના હોય, અનેક ખેડૂતો લાઈનમાં ઊભા છતાં ખાતર મળ્યું નહતું.
સર્વોદય જુથ મંડળીના પ્રમુખ જયંતિલાલ નકુમે એક મુલાકાતમાં જણાવેલ કે થોડા સમય પહેલા રાસાયણિક ખાતરની ૧૦ હજાર બાચકી તેમને ત્યાં હતી. ગોડાઉનમાં સમાતી નહતી ત્યારે કોઈ આવ્યું નહતું. હવે જથ્થો ઓછો આવતા કતારો લાગે છે, જો કે બે દિવસમાં ફરી મોટો જથ્થો આવશે તેમ જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial