Advertisement
Author: નોબત સમાચાર

બેટ-દ્વારકાના કેશવરાયજી મંદિરની નોટીસ અંગે હાલ તોડપાડ નહીં કરવા સૂચના

૫ુષ્કર્ણા બ્રાહ્મણે આધાર-પુરાવા રજૂ કરતા

ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના બેટ-દ્વારકામાં સોથી વધુ વર્ષોથી આવેલા પુષ્કર્ણ બ્રાહ્મણોના ઈષ્ટદેવ કેશવરાયજીના મંદિરને ગૌચરમાં દબાણ કર્યાના નામે નોટીસ આપીને તોડી પાડવાના આદેશ-નોટીસો થતાં સમગ્ર ગુજરાત તથા અન્ય રાજ્યોના પુષ્કર્ણ બ્રાહ્મણોમાં ભારે રોષ ફેલાયો હતો.

પુષ્કર્ણ સમાજના જામનગર-કચ્છ તથા ખંભાળિયા અને અન્ય શહેરોના આઠ પ્રતિનિધિ આગેવાનોએ દ્વારકા પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને દસ્તાવેજ તથા ગુજરાત મહારાષ્ટ્ર અલગ થયા ત્યાર પછીનું અપડેટ, સીટી સર્વે, ડી.આઈ.એલ.આર. કચેરીમાં અપડેટ થયાના આધારો રજૂ કર્યા હતાં, તે જોઈને દ્વારકા પ્રાંત અધિકારીએ તુરત જ મેઈન્ટેન્સ સર્વેપર ચીફ ઓફિસર, સંબંધિત તંત્રને આ મુદ્દે તુરત યોગ્ય કરવા તાકીદ કરી હતી. આધાર-પુરાવાને ધ્યાને લેતા આ દેવસ્થાનના દબાણનો પ્રશ્ન ના રહેતો હોય, હવે તોડી નાખવા કાર્યવાહી નહીં થાય તેવી સૂચના પણ આપવામાં આવતા પુષ્કર્ણા બ્રહ્મ સમાજમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh