Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા શહેરમાં ટ્રાફિકની મોકાણ
ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળીયા વર્ષો પહેલા જામનગરના જામસાહેબનું 'રાજતીલક' નું ગામ હતું. અહીંની બજારો વર્ષો પુરાણી હતી. જેમાં તત્કાલીન વાહન ગાડા માર્ગ, બળદગાડી કે રથ નીકળે તેવો રસ્તો હતો. પરંતુ આ પછી સ્વતંત્રતા પછી શહેરનો વિકાસ થયો. પરંતુ મુખ્ય બજારો જેમ કે નગર ગેઈટથી સતવારા ચોરા, મુખ્ય બજાર, લુહારશાળ, દરબારગઢ, શાક માર્કેટ, કલ્યાણરાયજી મંદિર, ઝવેરી બજાર, હરસિદ્ધિ મંદિર વિસ્તાર સહિતના રસ્તાઓ કે જે ગામના મુખ્ય છે, પણ અહીં જુની બજારના સાંકડા રસ્તા એવા છે કે, અહીં રોજ બે રિક્ષા સામે આવે તો પણ નીકળી ના શકે તેવી સ્થિતિ હોય, રોજ ટ્રાફિક જામની સ્થિતિ થાય છે.
સાંકડી બજારો પર દુકાનદારો દ્વારા કાઢવામાં આવતા ઓટલા તેના ઉપર ચડવા નાનો ઓટલો તથા ત્યાં તેનું કે ગ્રાહકનું બાઈક પડ્યું હોય તથા ગટરો પર પણ દબાણો થયા હોય, એક મોટું વાહન તો શું પણ બે નાના વાહનો રિક્ષા જેવા પણ નથી નીકળી શકતા.
અગાઉ ભૂતકાળમાં પાલિકા વહીવટદાર બી.જી. પ્રજાપતિ હતાં ત્યારે તેમણે ઓટલા અને ખપેડા ડિમોલેશન કરીને રસ્તા પહોળા કર્યા હતાં. પણ અત્યારની સ્થિતિ એવી છે કે, રોજ ટ્રાફિક જામ સાથે સંઘર્ષ, ઘર્ષણ બોલાચાલીના બનાવો બનતા લોકોમાં રસ્તો કાઢવાની માંગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial