Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઉદ્યોગપતિ રામગોપાલ મહેશ્વરી દ્વારા ૧પ મી વખત દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ

જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે

જામનગર તા. ૮: જામનગરને કર્મભૂમિ બનાવીને ઉદ્યોગ ક્ષેત્રે જામનગરથી દિલ્હી સુધીનો વ્યાપ ધરાવતા અને કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ એક્સપોર્ટનો એવોર્ડ ઉપરાંત જામનગરનો મેયર એવોર્ડ સહિતના વિવિધ સન્માન મેળવનારા નગરના અગ્રણી ઉદ્યોગપતિ રામગોપાલ મહેશ્વરીનો તાજેતરમાં જન્મદિવસ હતો. ત્યારે તેઓએ કરેલા પ્રતિવર્ષના ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવા માટેના સંકલ્પના અનુસંધાને ૬ર મા વર્ષમાં મંગલ પ્રવેશ સમયે દ્વારકાધીશજીના મંદિરે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ અવિરત ચાલુ રાખ્યો છે, જે અંતર્ગત સતત ૧પ મા વર્ષે પણ દ્વારકાધીશજીના મંદિરે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh