Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓસરીનું તાળું તોડી તસ્કરે રોકડ રકમ ઉઠાવીઃ
જામનગર તા.૮ : કાલાવડ તાલુકાના માછરડા ગામના એક ખેડૂત ગયા શનિવારે સવારે પોતાના પરિવાર સાથે બહાર ગયા પછી સાંજે તે પરત આવ્યા તે દરમિયાન ઓસરીના દરવાજાનું તાળું તોડીને ઘૂસી ગયેલા કોઈ તસ્કરે એક ઓરડામાં રાખવામાં આવેલા ટેબલમાંથી રૂ.૭૧ હજાર રોકડા ઉઠાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતા વાળા અરવિંદસિંહ બનેસિંહ નામના ખેડૂતના મકાનમાં ગયા શનિવારે સવારે દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા દરમિયાન ચોરી થઈ છે.
સવારથી સાંજ સુધી બંધ પડેલા આ મકાનમાં કોઈ તસ્કર ઘરની ઓસરીના દરવાજાનું તાળું તોડી ઘૂસી ગયો હતો. તેણે એક ઓરડામાં રાખવામાં આવેલા લોખંડના ટેબલનું ખાનુ ખોલી નાખી તેમાંથી રૂ.૭૧ હજાર રોકડા ઉઠાવી લીધા હતા. સાંજે ઘેર પરત આવેલા અરવિંદસિંહને ચોરીની જાણ થયા પછી તેઓએ ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૩૧ (૩), ૩૦૫ (એ) હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial