Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના શિશાંગના ઉપસરપંચ પર જીવલેણ હુમલાના આરોપીના જામીન

ત્રણ આરોપીની અરજી મંજૂર રખાઈઃ

જામનગર તા.૮ : કાલાવડના શિશાંગ ગામના ઉપસરપંચ તથા અન્ય એક વ્યક્તિ પર દસેક દિવસ પહેલા ચાર શખ્સે જીવલેણ હુમલો કર્યાે હતો. તે ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી ત્રણ આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર રખાઈ છે.

કાલાવડ તાલુકાના શિશાંગ ગામના ઉપસરપંચ અને અન્ય વ્યક્તિઓ ગઈ તા.૨૮ની રાત્રે બારેક વાગ્યે શિશાંગ ગ્રામ પંચાયત કચેરી પાસે ચાર શખ્સ ઉભા છે અને એક મોટરમાંથી ટાયર કાઢે છે તેવી વિગત મળતા દોડી ગયા હતા.

આ સ્થળે હાજર રોહિત દિનેશભાઈ પરમાર, ચિરાગ જયંતિભાઈ પરમાર, હિતેશ મનજીભાઈ પરમાર તથા એક અજાણ્યા શખ્સે બોલાચાલી કર્યા પછી ઉપસરપંચ પર છરી, ઢીકાપાટુથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં ચારેય આરોપી ઝડપાઈ ગયા હતા. તમામ આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા રોહિત દિનેશ ભાઈ, ચિરાગ જયંતિભાઈ, હિતેશ મનજીભાઈએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. તે અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh