Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૮ : જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે રોડ ક્રોસ કરતા જામનગરના એક વૃદ્ધાને ખંભાળિયા તરફથી દોડી આવેલી એસટી બસે ઠોકર મારી દીધી હતી. ગંભીર ઈજા પામેલા વૃદ્ધાનું મૃત્યુ નિપજયું છે. બસચાલક સામે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટી પાછળ સોનલનગરમાં રહેતા રિક્ષા ડ્રાઈવર મંગાભાઈ રામદેવભાઈ જોગાણી નામના યુવાનના માતા જીવીબેન (ઉ.વ.૮પ) ગઈકાલે બપોરે ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા.
આ વેળાએ ખંભાળિયા તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૮-ઝેડ ૮પ૮૯ નંબરની એસટી બસના ચાલકે આ વૃદ્ધાને હડફેટે લઈ ફંગોળ્યા હતા. રોડ પર જોશભેર પછડાયેલા જીવીબેનને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મંગાભાઈએ બસના ચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુન્હો નોંધી બસ ચાલકની ધરપકડ માટે તજવીજ હાથ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial