Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધિવેશનનું આયોજન

તારીખ ૯ થી ૧૧ જાન્યુઆરી સુધી

ખંભાળિયા તા. ૮: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું પ૩ મું શૈક્ષણિક તથા વહીવટી અધિવેશન અંબાજી યાત્રાધામમાં આગામી તા. ૯-૧૦-૧૧ જાન્યુઆરીના યોજાનાર છે.

ગુજરાતના સમગ્ર આચાર્યો શિક્ષણ અને વહીવટી અધિવેશનમાં ચિંતન મનન તથા માર્ગદર્શન માટે જ્ઞાનગોષ્ઠી કરે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તા. ૯-૧-ર૦ર૪ ના રજિસ્ટ્રેશન થશે તથા ૧૦-૧-ર૦ર૪ ના ઉદ્ઘાટન સત્ર યોજાશે. જેનું ઉદ્ઘાટન સમારંભના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર તથા અતિથિ તરીકે ધારાસભ્યો મહેન્દ્રભાઈ પાડલિયા, કમલેશભાઈ પટેલ, ધવલસિંહ ઝાલા વિવિધ સંઘોના અગ્રણીઓ સતિશ પટેલ, શંકરસિંહ રાણા, ભરતભાઈ પટેલ, કીર્તિસિંહ મહીડા, મતેશભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh